કોંગ્રેસ શાસનમાં ભારતની 43000 કિ.મી.જમીન ચીનને સોંપી દેવામાં આવી હતી અને અત્યારે કોંગ્રેસ ભાજપ સામે હાસ્યાસ્પદ અને જૂઠ્ઠા આક્ષેપો કરે છે. ચીનની એમ્બેસી તરફથી લાખો રૂપિયાનું ડોનેશન કોંગ્રેસના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળ્યું છે. તેવા મંત્રીશ્રી રવિશંકર પ્રસાદના નિવેદન સામે કોંગ્રેસ જવાબ આપે.
દેશની એકતા-અખંડિતતા, સરહદની સુરક્ષા કે આતંકવાદ સામેની લડાઈમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિ, સંકલ્પ અને એકશન એ દેશના ઈતિહાસમાં સૌથી વધુ મજબૂત છે. તેવી વિશ્વ અને દેશની જનતાને પ્રતિતી થઈ ચુકી છે.
દુશ્મન દેશમાં જઈને સર્જીકલ સ્ટ્રાઈક કે એર સ્ટ્રાઈક કરવાની હોય કે કાશ્મીરમાં 370/35-એ કલમ હટાવવાની વાત હોય. કોંગ્રેસના શાસનમાં ભારત વિરોધી આગ ઓકનારા અને પાકિસ્તાન જીંદાબાદ બોલનારા હુરિયતના અને અન્ય કાશ્મીરના નેતાઓની સિક્યુરીટી પાછળ દર વર્ષે રૂ.112 કરોડનો ખર્ચ થતો હતો. આ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં ચાલતી આ ભાજપ સરકારે તમામની સિક્યુરીટી પાછી ખેંચી લીધી અને કેટલાંકને જેલમાં પૂરી દઈને આતંકવાદ સામે કડક હાથે કામ લીધું છે. તે દેશની જનતા જોઈ રહી છે.
ચીનની માનસિકતા વિસ્તારવાદી છે તો આ સરકાર પ્રખર રાષ્ટ્રવાદી છે. કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે ચીનની તરફેણમાં પ્રતિભાવ આપીને ભારતીય સૈનિકોના મનોબળને હતાશા આપવાનો પ્રયાસ બંધ કરે.
શ્રી ભરતભાઈ પંડ્યા
પ્રદેશ પ્રવક્તા શ્રી,
ભાજપ - ગુજરાત પ્રદેશ
કોંગ્રેસ શાસનમાં ભારતની 43000 કિ.મી.જમીન ચીનને સોંપી દેવામાં આવી હતી અને અત્યારે કોંગ્રેસ ભાજપ સામે હાસ્યાસ્પદ અને જૂઠ્ઠા આક્ષેપો કરે છે. ચીનની એમ્બેસી તરફથી લાખો રૂપિયાનું ડોનેશન કોંગ્રેસના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળ્યું છે. તેવા મંત્રીશ્રી રવિશંકર પ્રસાદના નિવેદન સામે કોંગ્રેસ જવાબ આપે. દેશની એકતા-અખંડિતતા, સરહદની સુરક્ષા કે આતંકવાદ સામેની લડાઈમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિ, સંકલ્પ અને એકશન એ દેશના ઈતિહાસમાં સૌથી વધુ મજબૂત છે. તેવી વિશ્વ અને દેશની જનતાને પ્રતિતી થઈ ચુકી છે. દુશ્મન દેશમાં જઈને સર્જીકલ સ્ટ્રાઈક કે એર સ્ટ્રાઈક કરવાની હોય કે કાશ્મીરમાં 370/35-એ કલમ હટાવવાની વાત હોય. કોંગ્રેસના શાસનમાં ભારત વિરોધી આગ ઓકનારા અને પાકિસ્તાન જીંદાબાદ બોલનારા હુરિયતના અને અન્ય કાશ્મીરના નેતાઓની સિક્યુરીટી પાછળ દર વર્ષે રૂ.112 કરોડનો ખર્ચ થતો હતો. આ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં ચાલતી આ ભાજપ સરકારે તમામની સિક્યુરીટી પાછી ખેંચી લીધી અને કેટલાંકને જેલમાં પૂરી દઈને આતંકવાદ સામે કડક હાથે કામ લીધું છે. તે દેશની જનતા જોઈ રહી છે. ચીનની માનસિકતા વિસ્તારવાદી છે તો આ સરકાર પ્રખર રાષ્ટ્રવાદી છે. કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે ચીનની તરફેણમાં પ્રતિભાવ આપીને ભારતીય સૈનિકોના મનોબળને હતાશા આપવાનો પ્રયાસ બંધ કરે. શ્રી ભરતભાઈ પંડ્યા પ્રદેશ પ્રવક્તા શ્રી, ભાજપ - ગુજરાત પ્રદેશ